dholakiya

dholakiya
યે દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યા કહેના. જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા કૈસે ગીરતે કો ઠામલે માણસે બે વાર શરમાવવા જેવું છે બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું Life is not an ipod to listen to your favorite songs.. but, its like a radio in which you must adjust yourself to enjoy whatever comes in it . જે રિસર્ચ કરે એ ઋષિ અને જે રિસીવ કરે એ પણ ઋષિ , અને આવું ઋષિપદ ધારણ કરી શકે એ ખરો શિક્ષક. થાય એટલું કામ કરવુ " અને "કરીએ એટલું કામ થાય" એ બે વચ્ચેનો તફાવત જે સમજે તેને સફળતા મળે છે. આપણુ બધુ જ છતાં આપણુ કંઇ નહી એવુ જળ મા કમળજેવું મહાલીએ. જીવવા માટે ત્રણ વસ્તુ જરુરી છે પ્રેમ કરવા માટે કોઇ વ્યક્તિ કે પ્રકૃતિ,કરવા માટે કામ,અને જીવવાની આશા.

સોમવાર, 8 ઑગસ્ટ, 2011

રાષ્ટ્ર ના આર્થિક વિકાસમાં નાગરિકનું યોગદાન

        કોઇપણ રાષ્ટ્રના  સર્વાંગી  વિકાસમાં તેનું આર્થિક પાસું અત્યંત  મહત્વપૂર્ણ હોય છે ભારત જેવા અનેક સમસ્યાથી ઘેરાયેલા રાષ્ટ્રના વિકાસવર્તુલમાં તેનું આર્થિક પાસું જ  મધ્યબિંદુ ગણાવી શકાય તે માટે બે બાબતો પાયાની ગણાવી શકાય (૧) ભૌતિક સાધનો   (૨) માનવીય સંપતિ  ભારતમાં આ બન્ને વિપુલ પ્રમાણમાં છે કહેવાયું છે  કે "ધનિક ભારતમાં ગરીબો વસે છે."ત્યારે સંવેદનશીલ નાગરિકને પ્રશ્ન   થાય કે  શા માટે એમ કહેવાય છે ? 
               મનોમંથનના અંતે  મારું મન એમ   કહેં છે   કે  દેશના આર્થિક વિકાસ માટે માત્ર નાણાં ખર્ચાય એ જરૂરી નથી દેશના નાગરિકોમાં વફાદારી, રાષ્ટ્રપ્રેમ વગેરે જરૂરી છે  ભ્રષ્ટાચાર લાંચરીશ્વત   એક સામાન્ય વ્યવહાર બની ગયા છે  
                  આપણે ત્યાં લોકો ધાર્મિક વૃતિ વધારે ધરાવે છે તેથી દાન દેવું, અન્યને વધારેમદદ કરવી વગેરે  આળસુ લોકોને વધારે આળસુ બનાવે   છે ભીખારીઓ ,મંદિરના સાધુ -બાવાઓ , પુજારી દરેકને ઉત્પાદન પ્રક્રિયામાં   જોડવા   માટે  દાન  આપવાનું બંધ કરવું જોઈએ મંદિરમાં પૈશા   મુકીને જ દર્શન કરવા જરૂરી નથી કામચોરી ,નિયમનો ભંગ કરવો , અંધશ્રદ્ધા , વહેમ,કુરિવાજ , મૃત્યુ પછીના જીવન વિષે વિચાર , પરિવર્તનનો  અસ્વીકાર  વગેરે જ આપણી ગરીબી માટે  જવાબદાર છે 
                        આમાંથી બહાર નીકળવું હોય તો આપણે  સંકલ્પ  કરવો  રહે કે  રાષ્ટ્રની સંપતી આપણી સંપતી છે અમે તેનો બગાડ નહી કરીએ અમે  કામ કરશું અને બીજાને કામ  કરતા કરશું  કાર્યને જ  ધર્મ માનશું 
   આ   દેશને જરૂર છે  પ્રમાણિક, નીતિવાન અને  કર્મનિષ્ઠ નાગરિકોની

ટિપ્પણીઓ નથી: