dholakiya

dholakiya
યે દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યા કહેના. જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા કૈસે ગીરતે કો ઠામલે માણસે બે વાર શરમાવવા જેવું છે બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું Life is not an ipod to listen to your favorite songs.. but, its like a radio in which you must adjust yourself to enjoy whatever comes in it . જે રિસર્ચ કરે એ ઋષિ અને જે રિસીવ કરે એ પણ ઋષિ , અને આવું ઋષિપદ ધારણ કરી શકે એ ખરો શિક્ષક. થાય એટલું કામ કરવુ " અને "કરીએ એટલું કામ થાય" એ બે વચ્ચેનો તફાવત જે સમજે તેને સફળતા મળે છે. આપણુ બધુ જ છતાં આપણુ કંઇ નહી એવુ જળ મા કમળજેવું મહાલીએ. જીવવા માટે ત્રણ વસ્તુ જરુરી છે પ્રેમ કરવા માટે કોઇ વ્યક્તિ કે પ્રકૃતિ,કરવા માટે કામ,અને જીવવાની આશા.

બુધવાર, 25 જુલાઈ, 2012

આજનો માનવી


આજનો  માનવી
 મારી  વિદ્યાર્થીની  ગઢવી દેવ્યાનીબા ના વિચારો-
        હજારો જ્ન્મના પુણ્ય બાદ માનવ અવતાર પ્રાપ્ત થાય છે આમ છતાં કહેવુ પડે છે કે- હું માનવી માનવ થાઉ તો ઘણું 
       પશુ કિ પરિયા બને નર કા કછુ નહિ હોત
         નર જો કરણી કરે તો નર સે નારાયણ હોય
માણસને ઇશ્વરે અતુટ શક્તિ આપેલી છે  પરંતુ આપણે તેનો પુરો ઉપયોગ કરી શકતા નથી તેમા પણ જ્યારે માનવી માનવતા ભુલી જાય છે, સ્વાર્થ,  દંભ વગરેમા ડુબી જાય છે ત્યારે માનવમૂલ્ય ભુલી જાય છે. અને એ જ તો આપણી મોટી નબળાઇ છે ને?
       એળે ન જાય જો જો અવતાર માનવીનો
       જો જો ભુલાયના એતબાર માનવીનો
       તમે એવા વેણ ન કાઢો જે દિલને ઠેસ વાગે
       તારી વાણીમા બધો છે એતબાર માનવીનો
       હરગીઝ મોક્ષ નહી પામે માનવીના નુર
       ભગવાન ખુદ ધરે છે અવતાર માનવીનો
       એળે ન જાય જો જો અવતાર માનવીનો
આ દૂનિયામા માનવીના અનેક રૂપો હોય છે કોઇ અસુરરૂપે તો કોઇ ફરીસ્તારૂપે  દરેક માણસની વીચારવાની રીત ,જીવન જીવવાની રીત અલગ અલગ હોય છે આજે માનવી ઇન્ટરનેટ પર કલાકો સુધી વાતો કરે છે પરંતુ બાજુમા બેઠેલાને ઓળખતા પણ નથી પોતાના સ્વાર્થ માટે અનેક લોકોના જીવનને વેરવીખેર કરી નાખતા પણ અચકાતો નથી
      આ દૂનિયામા વસેલા લોકોની અલગ કહાની છે -
        જો કોઇનો વિશ્વાસ તોડો તો એ રડે છે.
        અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે.

બુધવાર, 18 જુલાઈ, 2012

જીંદગી કા સફર હૈ યે કૈસા સફર....

બાબુ મોશાય,  જિંદગી કી ડૌર ઉપરવાલે કે હાથ મે હૈ ...