dholakiya

dholakiya
યે દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યા કહેના. જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા કૈસે ગીરતે કો ઠામલે માણસે બે વાર શરમાવવા જેવું છે બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું Life is not an ipod to listen to your favorite songs.. but, its like a radio in which you must adjust yourself to enjoy whatever comes in it . જે રિસર્ચ કરે એ ઋષિ અને જે રિસીવ કરે એ પણ ઋષિ , અને આવું ઋષિપદ ધારણ કરી શકે એ ખરો શિક્ષક. થાય એટલું કામ કરવુ " અને "કરીએ એટલું કામ થાય" એ બે વચ્ચેનો તફાવત જે સમજે તેને સફળતા મળે છે. આપણુ બધુ જ છતાં આપણુ કંઇ નહી એવુ જળ મા કમળજેવું મહાલીએ. જીવવા માટે ત્રણ વસ્તુ જરુરી છે પ્રેમ કરવા માટે કોઇ વ્યક્તિ કે પ્રકૃતિ,કરવા માટે કામ,અને જીવવાની આશા.

રવિવાર, 22 એપ્રિલ, 2012

જિંદગીમા ઉતાવળ... થોભો


સાભાર ગુજરાત સમાચાર
જિંદગીમા ઉતાવળ... થોભો
માણસ અટવાય છે કલ કરે સો આજ કર અને ધીરે ધીરે મનવા ધીરે સબકુછ હોય ના બે ચક્રો વચ્ચે .
   ક્યાં ધીરજ રાખવી ક્યાં ઉતાવળ કરવી?
  •     સંબંધ બાંધવામા ઉતાવળ ન કરવી અને સંબંધ તોડવામા પણ ઉતાવળ ન કરવી સંબંધને ધીમે ધીમે વિકસવા દેવો.
  •    ક્રોધ કરવામા, લડાઇ-ઝગડા કરવામા ઉતાવળ ન કરવી
  •    કોઇ વિશે ઉતાવળે અભિપ્રાય બાંધવો નહી કે જાહેર કરવો નહી ધીમે ધીમે વ્યક્તિનુ મૂલ્યાંકન કરતા રહેવું
  •    ઉતાવળે વિશ્વાસ ન કરવો કે ઉતાવળે અવિશ્વાસ કે શંકા પણ ન કરવા
  •    ઉતાવળે સાહસિકતા ન દાખવવી
  •   સંજોગો વિપરીત હોય ત્યારે હિંમત હાર્યા શિવાય ધૈર્યપુર્વક ઉચિત સમયની રાહ જોવી બેબાકળા ન બનવું
  •     કોઇએ કહેલી વાત ઉતાવળે સાચી માની લેવી નહી ઉતાવળે કોઇના પર આક્ષેપ કરવો નહી
  •  ઉતાવળે કોઇને ગુરુ ન બનાવવા.
  •     કોઇ પ્રશંશા કરે ત્યારે ઉતાવળે ખુશ ન થવું
  • ઉતાવળે ખરીદી ન કરવી
  •    જિંદગી મૂલ્યવાન છે.તેને ઉતાવળે જીવી લેવાની લ્હાયમા જિંદગીની મૂલ્યવાન ક્ષણને વેડફી ન જ દેવાય ને?


મંગળવાર, 10 એપ્રિલ, 2012

વિચાર અને આચાર


વિચાર અને આચાર
મારી ફ્રેન્ડ નિરંજની માધવી ની સંવેદના

બે ત્રણ દિવસ પહેલા મસાલા દળાવવા જવાનું થયું, ત્યાં ગૃહિણીઓ ની ચહલપહલ ,ઘંટીનો અવાજ, ભાવતાલ વગેરે મિશ્ર વાતાવરણ  વચ્ચે હું  દરણું દળાવવાની રાહ જોતી ઉભી રહી. થોડીવારે મિલવાળા ભાઈ એ ગાળો બદલાવ્યો  અને નોકરીએ રાખેલા  યુવકને બોલાવ્યો  તેના ચહેરા ઉપર સંતોષ દેખાતો હતો,  થોડી શાંતિ  અને જીવન પ્રત્યેની બેફિકરાઈ પણ, સાવ સામાન્ય ઘંટીવાળો ... થોડીવાર રહીને મારી બાજુમાં ઉભેલા બહેને કહ્યું,  હવે પહેલા મારું દરણું દળી આપને. છોકરાએ કહ્યું ,વારાપ્રમાણે લેવાયને માશી તમારું દરણું ક્યાં છે ?અને  પેલા માશીએ ચોથા પાંચમાં વારાએ રહેલું પોતાનું દરણું છોકરાને હાથમાં આપી કહ્યું લે દળી આપ , છોકરો તેની સામું જ જોઈ રહ્યો અને કહ્યું , આપણું સારું કરવા માટે કોઈનું બગાડાય નહી માશી!
                અને મને થયું કે આ સાવ સામાન્ય ઘંટીવાળો છોકરો પરંતુ તેની ફીલોશોફી કેટલી ઉચી છે. જગતમાં આવું આપણને અવારનવાર જોવા મળે છે સામાન્ય લોકો બીજાનો વિચાર કરીને જીવે છે તેની  વિચારધારા પ્રમાણે તે જીવે છે જયારે જેમ માણસનું પદ ઉચું તેમ તેની ફીલોશોફી માત્ર બોલવામાં જ ઉચી વાણી અને વર્તનમાં આભ જમીનનું અંતર જોવા મળે છે
                જો દરેક માણસ  એવું વિચારે કે મારાથી તો આમ ન જ થાય તો પણ ઘણાં પ્રશ્ન હલ થઇ જાય  આપણા થી કોઈનું સારું ન થાય તો કંઈ નહી પરંતુ આપણું સારું કરવા માટે બીજાનું બગડવાનું કેટલા અંશે વાજબી છે?  બીજાની લીટી ટૂંકી કરીને આપણી લીટી લાંબી કરવાથી સરવાળે આપણને જ આપણે નુકસાન પહોંચાડીએ  છીએ.